પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

કાયદો અને વ્યવસ્થાની જાળવણી

6/21/2025 12:51:02 AM

કાયદો અને વ્યવસ્થાની જાળવણી -

અમદાવાદ ગ્રામ્‍ય જિલ્લામાં પોલીસ અધીક્ષકના નિયંત્રણ હેઠળ હાલમાં ૩-ના.પો.અધિ. શ્રી, ૧૧-પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી, ૩૧- પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરશ્રી અને ૯૨૦-પોલીસ કમર્ચારીઓ કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે.

  • જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.

  • જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

  • જિલ્લામાં ધાર્મિક તહેવારો તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

  • જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાલ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

  • જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જયારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.