પોલીસ અધિક્ષક, ગાંધીનગર |
http://www.spgandhinagar.gujarat.gov.in |
એસપીનો સંદેશ |
6/20/2025 6:39:23 PM |
|
કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું કામ તેમ જ ભયમુકત વાતાવરણ સર્જવાનો પોલીસનો હંમેશાં દ્રઢ નિર્ધાર હોય જ છે. "પોલીસ" એવી વ્યવસ્થા છે કે જે ન્યાય અને બંદોબસ્ત, લોકોના જાનમાલની સલામતી તથા ગુનાઓ અટકાવવા તેને શોધી કાઢવા અને ગુનેગારોને પકડી કાયદા અને શાસનની સ્થાપના કરવી અને તેમ કરી જાહેર સુલેહ શાંતિ જાળવાનુ કામ કરવાનું હોય છે. લોક સમૂહની સુરક્ષા અને સુખ સગવડની જાળવણી સાથે પોલીસનો ઘનિષ્ઠ સંબંધ છે. આમ કરી પોલીસનુ ઊંચું ધોરણ જળવાઈ રહે તે માટે કાર્યદક્ષ અને તેજસ્વી પોલીસ અધિકારીઓ તેમ જ જવાનો લોક સેવક તરીકે પ્રજામાં વર્તી પ્રજાજનોનો આદર અને સહકાર પ્રાપ્ત કરી રાજયમાં સુશાસનની જાળવણી કરે તેવી વર્તમાન યુગને તાતી જરૂરિયાત છે.
જેમ કોઈ દેશની પોલીસનું ચારિત્ર અને ગુણવત્તા એ તે દેશની સરકારના સ્પિરિટ અને તેની ગુણવત્તા વિષેની કસોટી પૂરી પાડે છે. તેમ લોકોનું પોલીસ પ્રત્યેનું વલણ અને આદર એ પોલીસના વર્તન અને ચારિત્ર તથા ગુણવત્તાનો સબળ પુરાવો પાડે છે. જે પોલીસ કાર્યદક્ષ,પ્રમાણિક, બિનપક્ષપાતી અને લોકોના સેવક તરીકે વર્તતી હશે. અને લોકોનો આદર પ્રાપ્ત થવા ઉપરાંત અણીના સમયે તેને મદદ અને વિશ્વાસ મળશે જ.
આ નાગરિક અધિકારપત્ર દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ પ્રજામાં સામાજિક શાંતિ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમ જ ગુનેગારો સામે સખતાઈ દાખવી નાગરિકોને ભયમુકત બનાવી શક્તીશાળી સમાજની રચના કરાવી શકશે. શાંતિ વગર સમૃદ્ધિ શક્ય નથી તે ઉદ્દેશને દ્રષ્ટિ સમક્ષ રાખી મારો સંદેશ પાઠવું છું.
પોલીસ અધીક્ષક ગાંધીનગર.
|
|