પોલીસ અધિક્ષક, ગાંધીનગર |
http://www.spgandhinagar.gujarat.gov.in |
અનુસૂચિત જાતી / જન જાતીની વ્યકિતઓને લગતો કાયદો |
6/20/2025 11:54:54 PM |
|
ભારત દેશમાં ૧૯૮૯ની સાલમાં અનુસૂચિત જાતિ/ જનજાતિની અત્યાચાર પ્રતિબંધ ધારો અમલમાં આવેલ જેમાં આ કાયદા
દ્વારા અનુસૂચિત જાતિ/ જનજાતિની વ્યક્તિઓ અત્યાચારનો ભોગ બને તેમાં તેમને પૂરતું રક્ષણ મળે. જાનમાલની રક્ષા થાય અને સમકક્ષ અધિકાર પ્રાપ્ત થાય તે હેતુસર અમલમાં મૂકવામાં આવેલ છે.
-
આવા બનાવોની તપાસ પોલીસ અધિકારીને ત્વરિત અને ઝડપી પગલાં લેવાનાં હોય છે.
-
જિલ્લા સ્તરે ડી.વાય.એસ.પી. દરજજાના અધિકારીને એસ.સી./એસ.ટી. સેલમાં ખાસ નિમણૂક કરી આવા ગુનાની તપાસ તેમને કરવાની હોય છે.
-
જિલ્લા મથકે એસ.સી./એસ.ટી. સેલ (વિભાગ) માં માસ દરમિયાન અત્યાચાર સબંધી બનાવોની માહિતી, અરજીઓની તપાસ, અહેવાલ પાઠવવાની કાર્યવાહી થાય છે. અને માહિતી સંકલિત થાય છે.
-
વખતોવખત જિલ્લા તકેદારી સમીતીમાં કલેકટરશ્રીના અઘ્યક્ષપણા હેઠળ સમીક્ષા કરવામાં આવે છે.
-
સમાજ કલ્યાણ વિભાગમાં એસ.સી./એસ.ટી. સેલમાં એક પો.સ.ઈ.ની ખાસ જગ્યા
ઊભી કરવામાં આવે છે.
-
અત્યાચારનો ભોગ બનનાર વ્યક્તિ, કુટુંબ કે સમુદાયને પૂરતું પોલીસ રક્ષણ આપવું.
-
વાર્ષિક સેમિનાર
દ્વારા અ.જાતિ/જનજાતિના વ્યક્તિઓને કાયદાઓ અને તેમાં મળતા લાભાલાભની જાણકારી અપાય છે.
|