વગેરેને કારણે જાહેર જનતા આવી સામાન્ય હરકતો અંગે ખાસ જાણકારી ન હોવાના કારણે કોઈ
ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. આવા કિસ્સામાં નીચે જણાવેલ અડચણો, કૃત્યો અંગે પોલીસ અધિકારી બોમ્બે પોલીસ એકટ હેઠળ કાર્યવાહી કરી શકે છે.
-
ઢોરને રસ્તામાં સાર્વજનિક જગ્યામાં રઝળતુ મૂકવું.
-
જાનવર મારફત અડચણ
ઊભી કરવી.
-
પગવાટ ઉપર અડચણ કરવી.
-
કોઈની નકલ કરવી, ગાનતાન ખેલ કરવા.
-
રસ્તા ઉપર જાનવરનો વધ કરવો, જાનવરનું મડદું અથવા ચામડું સાફ કરવું.
-
કરડતો કૂતરો જાહેરમાં ફરવા દેવો કે ધોડા છૂટા મૂકવા.
-
જાહેરમાં નાહવા કે ધોવા અલયાદી નહીં રાખી હોય તેવી ખુલ્લી જાહેર જગ્યામાં નાહવુ, મળમૂત્ર કરવું, જાહેરમાં થૂંકવું.
-
સાર્વજનિક કૂવાનું પાણી ખરાબ કરવું.
-
જાહેરમાં નિર્લજજપણે વર્તવું.
-
જાહેર રસ્તામાં આવનાર વ્યક્તિને જાણી બુઝીને ધકકા મારવા, તોફાની ચાલ ચાલવી ભય ઉદ્દભવે તેવાં કૃત્યો કરવાં.
-
સુલેહભંગ કરવાના ઈરાદાથી ગેરવર્તન કરવું.
-
કોઈને પતંગ ઉડાડવાની મનાઈ કરવી.
-
જાહેરમાં ગંદવાડ કરવો.
-
સાર્વજનિક આનંદપ્રમોદની જગ્યામાં અવ્યવસ્થિત વર્તણુક.
-
સોસાયટીમાં કે જાહેરમાં
ઊંચા અવાજે માઈક કે ટેપ વગાડવી.
-
સાઇલન્સ ઝોનમાં
ઊંચા અવાજવાળા હોર્ન વગાડવા.
-
સરકારી કચેરીમાં ધૂમ્રપાન કરવું.
-
સિનેમાગૃહમાં ધૂમ્રપાન કરવું અન્ય પ્રેક્ષકોને અડચણ થાય તે રીતે ચેનચાળા કરવા.
પોલીસ આમ જનતાની સેવામાં
ગાંધીનગર
જિલ્લાનું પોલીસદળ જનસમાજને સામાજિક શાંતિ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી
તેમ જ ગુનેગારો તરફ સખત બનીને
નાગરિકો માટે ભયમુકત વાતાવરણ સર્જવા કટિબદ્ધ છે.
-
"જાગૃત પોલીસ અને જાગૃત નાગરિક" રાષ્ટ્રને મજબૂત બનાવવાનાં મુખ્ય પરિબળો છે.
-
પોલીસ આમ જનતાનો "સેવક" છે. "મિત્ર" છે નહીં કે ભયનું "પ્રતિક"
-
વિશ્વાસ અને ભરોસો રાખો પોલીસ આપનો "રક્ષક" છે.
-
જાગૃત અને લોકપ્રહરી નાગરિકો પાસેથી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પોલીસ દળની કામગીરી અંગે સામાન્યમાં સામાન્ય માહિતી
જિલ્લા પોલીસ વડા સુધી પહોંચાડે જેથી સફળતાપૂર્વક સમયસર પગલાં લઈ શકાય.
-
પ્રજાના જાનમાલનું રક્ષણ અને ભય મુકત વાતાવરણ સર્જીને લોકોની આબાદીનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસના શિરે છે.
-
સ્વચ્છ અને સુખી સમાજના નિર્માણમાં પોલીસ ખાતાનું યોગદાન હંમેશાં અગ્રેસર રહેશે. તે માટે જાગૃત નાગરિક અને સમાજ પ્રત્યેની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરવી સમાજિક જનજીવનને ઉચ્ચતમ કક્ષાએ લાવવા માટે મહત્વનો ભાગ ભજવી શકે છે.
ફરિયાદીએ ઘ્યાનમાં રાખવાની બાબતો -
-
બનાવ બન્યા બાદ તરત જ નજીકના પોલીસ સ્ટેશને જઈ
ફરિયાદ આપવી જોઈએ.
-
જો ખબર હોય તો
ફરિયાદમાં બનાવનું કારણ તથા હેતુ જણાવવો.
-
બનાવ અંગે સત્ય હકીકત જણાવવી બનાવ વખતે હાજર સાક્ષીઓની જાણકારી હોય તો પણ જણાવવી.
-
બનાવવાળી જગ્યાએ પોલીસ આવે ત્યાં સુધી જે તે હાલતમાં બનાવવાળી જગ્યાને જાળવી રાખવી.
-
ફરિયાદમાં વાંચીને સહી કરવી. જો ફરિયાદી અભણ હોય તો અન્ય પાસે વંચાવીને સહી કરવી.
-
ફરિયાદની નકલ ફરિયાદીને વિના મૂલ્યે મળશે.
અરજીઓ બાબતેની તપાસ. -
-
અરજદાર પોતાની અરજી પોલીસ સ્ટેશને, પોલીસચોકી, આઉટપોસ્ટમાં અગર ઉપરી અમલદારશ્રીને આપી શકે છે.
-
અરજીની તપાસ અંગે કોઈ અસંતોષ હોય તો
જિલ્લા પોલીસ અધિકારીશ્રીને રજૂઆત કરી શકે છે.
-
અરજીની તપાસ સાત દિવસમાં પુર્ણ કરવાની હોય છે. જો તપાસ માટે વધુ દિવસોની જરૂરિયાત હોય તો તપાસ કરનાર અમલદારે ઉપરી અધિકારીની પરવાનગી લેવાની હોય છે.
પોલીસ સ્ટેશનની કાર્યપદ્ધતિઃ-
-
પોલીસ સ્ટેશન સતત ર૪ કલાક કાર્યરત રહે છે.
-
કોઈપણ વ્યકિત ગમે ત્યારે
ફરિયાદ નોંધાવી શકે છે.
-
કોઈપણ જગ્યાએ અસમાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તો તે અંગે ટેલિફોનથી અગર રૂબરૂમાં પોલીસ સ્ટેશને આવીને માહિતી આપી શકાય. આપ ઈચ્છો તો આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
-
લાંબા સમય માટે મકાન બંધ કરીને બહારગામ જતા હોય તેની જાણ પોલીસ સ્ટેશને કરવી જોઈએ. જેથી પોલીસ પેટ્રોલિંગ વખતે આપની મિલકત ઉપર વિશેષ ઘ્યાન આપી શકાય.
-
પોલીસ સ્ટેશન વિસ્તારના કોઈ ગામડાંઓમાં બહારના અજાણ્યા માણસો આવ્યા હોય તો પોલીસને તાત્કાલિક માહિતી આપવી જેથી તેની ચકાસણી કરી શકાય.
-
નામચીન ગુનેગારો
તેમ જ હિસ્ટ્રિશિટરો ઉપર પોલીસ સતત વૉચ રાખે છે. જેથી તે અંગે કોઈ પણ માહિતી મળે તો આવી માહિતી નજીકના પોલીસ સ્ટેશને આપી શકો છો.
-
વર્ગ વિગ્રહ આંદોલનો, દેશદ્રોહ કે આતંકવાદ પ્રવૃત્તિ અંગે કોઈ પણ માહિતી હોય તો પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાધી માહિતી પ્રત્યક્ષ અથવા ગુપ્ત રીતે આપવા વિનંતી છે.
-
લોકોના જાનમાલની સુરક્ષા તથા મહાનુભાવોની સુરક્ષા બાબતે કોઈ પણ માહિતી પોલીસ સ્ટેશને અગર તો ઉપરી અધિકારીને આપી શકો છો.
-
કુદરતી આફત કે હોનારત જેવી કે આગ લાગવી, પૂર આવવું કે મકાન પડી જવા વગેરે બાબતોની જાણ તુરત જ પોલીસ સ્ટેશને કરવાથી મદદ મળી શકે છે.
ગુનાશોધક શાખા બાબતે -
સ્થાનિક બાતમી શાખા (એલ.આઈ.બી.) -
આ શાખામાં પાસપોર્ટ, ઈન્કવાયરી, ચારિત્ર વેરિફિકેશન, રાજકીય પ્રવૃત્તિ, બિનરાજકીય પ્રવૃત્તિ, વિદેશી
નાગરિકોની અવરજવરને લગતી બાબતો, સભા સરધસો, ધાર્મિક મેળાવડાઓ, વિધાર્થી પ્રવૃત્તિ,
જિલ્લાનાં અગત્યનાં મહત્વનાં સ્થળોની સુરક્ષા અંગે વ્યવસ્થા કરવાનું કાર્ય
કરે છે. સામાન્ય જનતાને અપીલ કરવામાં આવે છે કે દેશ વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ અંગેની ગુપ્ત માહિતી ટેલિફોન નંબર "૦૭૯-ર૩ર૧૦૮૯૯, ર૩રપ૯૧૩૦, ર૩રપ૯૧૩૧" ઉપર જરૂરથી આપશો. જેથી અસરકારક ઝડપી પગલાં લઈ શકાય. "જાગૃત
નાગરિકો સારા બાતમીદાર બનીને પોલીસના મિત્ર તરીકે ફરજ અદા કરી શકે છે."
વિશેષમાં સરકાર, પોલીસ તથા પ્રજા સાથેના સીધા સંપર્ક માટેનું શ્રેષ્ઠ માઘ્યમ કંટ્રોલરૂમમાં છે. કોઈ પણ વ્યક્તિ
ફરિયાદ, અરજી, રજૂઆત, બાતમી કે માહિતી પોલીસ કંટ્રોલ રૂમમાં રૂબરૂમાં અથવા ટેલિફોન
દ્વારા આપી શકે છે.
ટેલિફોન નંબર "૦૭૯-ર૩રપ૯૧૩૩, ર૩રપ૯૧૩૪, ર૩ર૧૦૯૧૪, ર૩ર૧૦૯૦૬ (ફેકસ)"
આપ અમને સમયસર "માહિતી" આપો, પોલીસ જરૂરથી આપનું "રક્ષણ" કરશે.
પોલીસ અધીક્ષકશ્રી અને
જિલ્લા પોલીસ ગાંધીનગરના સૌજન્યથી...