પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સ્થાનિક ઈન્ટેલીજન્સ શાખા

6/20/2025 11:36:06 PM

જિલ્લામાં રાજકીય બિનરાજકીય પ્રવૃત્તિ, પાક નાગરિકો, વિદેશી નાગરિકોની અવરજવર વિઝા સબંધી કાર્યવાહી ભારતીય પાસપોર્ટ અંગે પોલીસ રિપોર્ટ મોકલવા, સરકારી અર્ધસરકારી કર્મચારી/અધિકારીના ચારિત્ર વેરિફિકેશન રોલ તપાસ કરી મોકલવા, વી.આઈ.પી. તેમ જ ધાર્મિક તહેવારો, શોભાયાત્રાના બંદોબસ્તની ગોઠવણી સ્કિમ તૈયાર કરી મેનપાવર, એસ.આર.પી., જી.આર.ડી., હોમગાર્ડ વગેરેની ફાળવણી કરવાની કામગીરી એલ.આઈ.બી. શાખા તરફથી કરવામાં આવે છે.

આ શાખાના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેકટર અને પો.સ.ઈ. દરજજાના અધિકારી જિલ્લા પોલીસ અધિકારીની કચેરી સેકટર-ર૭, ગાંધીનગર ખાતે રાખેલ છે.

પાકિસ્તાન નાગરિકો -

  • પાક. નાગરિકોની નોંધણી.

  • ભારતમાં રહેવાની મુદત પૂરી થતાં વધુ સમય માટે ભારતમાં રહેવા માટે ટૂંકા ગાળાના વિઝા વધારવાની ભલામણ પ્રકિયા.

  • ભારતીય નાગરિકત્વ મેળવવા માટેની પ્રક્રિયા ( ભારતમાં સળંગ પાંચ વર્ષ વસવાટ કરેલ હોય તેવા માટે જ )

  • પાકિસ્તાની નાગરિકોની હિલચાલ પ્રવૃત્તિ ઉપર વોચ રાખવી.

  • પાક. નાગરિકોના બનાવટી પાસપોર્ટ, ખોવાયેલ પાસપોર્ટ સબંધી તપાસણી કરાવવી.

વિદેશી નાગરિકો -

  • વિવિધ દેશોનાં વિદેશી નાગરિકોની નોંધણી.

  • તમામ વિદેશી નાગરિકોને ભારતમાં રહેવા માટેની પરવાનગી મેળવવા માટેની ભલામણ પ્રકિયા.

  • લાંબા ગાળા માટે તેમ જ ટૂંકા ગાળાના વસવાટ માટે તેમ જ રિટર્ન વિઝા માટેની ભલામણ પ્રકિયા.

  • વિદેશી નાગરિકોનાં ભારતમાંના આગમન અને ભારત છોડયા અંગેની માહિતી.

  • વિદેશી નાગરિકે જયારે ભારત છોડવાનું હોય ભારત છોડવાના ૧૦ દિવસમાં ભારત છોડવા માટે પરવાનગી મેળવવાની હોય છે.

  • ભારતમાં વધુ રહેવા માટેની ભલામણ વિદેશી જયારે કરે છે ત્યારે તેમનાં પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ, પાસપોર્ટની ઝેરોક્સ નકલો, ભારતીય નાગરિક સાથે લગ્ન કરેલ હોય તો લગ્નનું પ્રમાણપત્ર, એઈડ્નું પ્રમાણપત્ર, જરૂરી વિઝા ફી નું ચલણ, તેમ જ નિયત કરેલ ફોર્મ ભરી અરજી કરવાની હોય છે.

  • આ તમામ ભલામણો ઉપસચિવશ્રી, ગૃહ વિભાગ, ફોરેનર્સ શાખા, ગુજરાત સરકાર, બ્લોક નં.ર બીજો માળ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે.

ભારતીય પાસપોર્ટ

                       અગાઉ DPACC સેન્ટર અત્રેની કચેરી ખાતે ચાલુ હતુ તે દરમ્યાન પાસપોર્ટ અરજીઓ અત્રે સ્વીકારવામાં આવતી હતી. પરંતુ ર૦૧ર થી ઓનલાઇન એપ્લીકેશન અરજદારે બારોબાર પાસપોર્ટ ઓફીસ અમદાવાદ ખાતે કરવાની થાય છે.

                        રીજયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ તરફથી આવતી પાસપોર્ટ અરજીઓનું વેરીફીકેશન સારૂ અત્રે મોકલવામાં આવે છે. અને વેરીફીકેશન પૂર્ણ થયા બાદ આખરી અભિપ્રાય સાથે પરત રીજયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવે છે.

                        પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીશ્રી અમદાવાદ નાઓનો ટેલિફોન નંબર – ૨૬૩૦૯૧૦૩ તથા ફેકસ નંબર ૨૬૩૦૯૧૧૮