|
કાયદો અને વ્યવસ્થાની જાળવણી -
અમદાવાદ ગ્રામ્ય
જિલ્લામાં પોલીસ અધીક્ષકના નિયંત્રણ હેઠળ હાલમાં ૩-ના.પો.અધિ. શ્રી, ૧૧-પોલીસ ઇન્સ્પેકટરશ્રી, ૩૧- પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી અને ૯૨૦-પોલીસ કમર્ચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે.
-
જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.
-
જિલ્લામાં કોમ્યુનલ બનાવ
તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો
દરમિયાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં ધાર્મિક તહેવારો
તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાલ જેવા કાર્યક્રમો
દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જયારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.
|
|