નાગરિક અધિકારપત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીઓમાં "જનસેવા કેન્દ્રો"
ઊભાં કરાવવા અંગે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે. જે તમામ કચેરીઓમાં એક સમાન હશે. જે લોક અનુદાન/ ભંડોળથી કાર્યરત થનાર છે. જે
જનસેવા કેન્દ્ર તરીકે ઓળખાશે
આ કેન્દ્રમાં
નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા લખવાની વ્યવસ્થા તથા પીવા માટે પાણીની વ્યવસ્થા, અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તથા જરૂરી ફોર્મ વિગેરે મેળવવા માટેની અઘતન વ્યવસ્થા પુરી પાડવામાં આવશે.
નાગરિક અધિકારપત્ર પરત્વે થનાર કાર્યવાહીની વિસ્તૃત સમજ / માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેન્દ્ર માટે નાયબ પોલીસ
અધીક્ષક કક્ષાના અધિકારીની જન સંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેથી અરજદારે વધુ
રજૂઆત માટે તેમ જ તે અંગે માહિતી માટે જરૂર જણાયે તેઓશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.
આ કેન્દ્રમાં લોકોને આપવામાં આવતી સેવાના સંદર્ભમાં જે વહીવટી ખર્ચ થવા પાત્ર છે. તે સેવા ચાર્જ તરીકે અરજી દીઠ-રૂ.ર૦/- (વીસ) ની મર્યાદામાં
નાગરિકો પાસેથી વસૂલ લેવાની સત્તા જે તે કચેરીના વડાને આપવામાં આવેલ હોઈ જરૂર જણાયે સેવાચાર્જ વસૂલ લેવામાં આવશે અને આ અંગેની થનાર આવક નો ઉપયોગ આ કેન્દ્રને વધુ સક્ષમ તથા સુવિધાવાળું બનાવવા માટે કરવામાં આવશે.
ઉપરોકત જનસેવા કેન્દ્રનો મુદ્દાલેખ
પોલીસ જનસેવા કેન્દ્રમાં આવતા દરેક અરજદાર /
નાગરિક ખૂબજ મહત્વની વ્યક્તિ છે.તેઓ કોઈપણ રીતે આપણા ઉપર આધારિત નથી પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે.
|