|
પોલીસ બંદોબસ્તના ચાર્જિસ વસૂલ લઈ નીચે જણાવેલ કેસોમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલ છે.
-
સામાન્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાના હિતમાં પોલીસ અધીક્ષકશ્રીને કે ઉપરી અધિકારીશ્રીને જરૂરી જણાય ત્યારે કોઈપણ સંસ્થા કે પક્ષકારને વિના મૂલ્યે પોલીસ બંદોબસ્ત/રક્ષણ આપવામાં આવે છે. નબળા વર્ગોને રક્ષણ આપવા જરૂરી જણાય તો તાત્કાલીક બંદોબસ્ત ફાળવવામાં આવે છે.
-
સીમ ચોરી અને ભેલાણ અટકાવવા સારુ જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. પાક રક્ષણ માટે પોલીસ બંદોબસ્તમાં ધોડેસ્વાર અને ઊંટસ્વાર પોલીસ મૂકવામાં આવે છે.
-
કોઈપણ યુનિવર્સિટી, માઘ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. જેનાં નાણાં વસૂલ લેવામાં આવતાં નથી.
-
બેન્ક કે વેપારી દ્વારા મોટાપાયે નાણાંની ફેરફેર માટે નિયત દરે નાણાં ચૂકવનારને હથિયારી રક્ષણ આપવામાં આવે છે.
-
ખાનગી સંસ્થા, બેન્કો વગેરેની સલામતી માટે પોલીસ ગાર્ડ ફાળવવામાં આવે છે. આ સંબધિત સંસ્થાઓ પાસેથી તેઓને ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીના પગાર ભથ્થાંના બે ગણી રકમ એડ્વાન્સમાં વસૂલ લેવામાં આવે છે.
|
|